રૂંધાય જ્યારે
શ્વાસ આલીંગનથી
પ્રેમ નહી, મૃત્યુ નહી,
ઝંખુ મુક્ત જીવન!
WelCome to Axaypatra

-
વાચકોની સંખ્યા:
- 15,985 hits
Search
Categories
-
Recent Posts
Blogroll
Archives
રૂંધાય જ્યારે
શ્વાસ આલીંગનથી
પ્રેમ નહી, મૃત્યુ નહી,
ઝંખુ મુક્ત જીવન!
રણવાસી જાણે એના
છળ, મૃગજળ એવી
આશ તરસ્યાની તૂટે
વસમી પળ!
હીરાની જેમ
સાચવેલા સંબંધોની
પરખ થઈ તો
આંખો થઈ પહોળી
અચરજથી… !!
નદી કહે,
‘જો હું કેવી શાંત!’
સાગર પૂછે,
કેમ? શું થયું?
સંબંધો ખરી ગયાની
ગાંઠ પર ફૂટ્યા
શબ્દો
ઋતુ બરફની
થથરે કાયા!
જા સૂરજ, કિટ્ટા
આ ઢાળ્યા પડદા
અને મીંચી આંખો
કાયમ માટે…
અહીં નારાજગી જીવને અંતર્મુખી કરે કે જીવનથી વિમુખ કરે ત્યારે પડદા ઢાળવા તે સૂતા પહેલાં બારી બંધ કરવા જેવી વાત છે. આંખ મીંચતા પહેલાં અંદરની સુરક્ષાનો ભાવ દ્રઢ કરી શાંતી પામવાની વાત છે અને આંખ મીંચ્યા બાદ મૃત્યુ થકી અંદરના પ્રકાશમાં ઓગળતી વખતે મુક્તિની ઝંખના સાથે બહારના પ્રકાશની આધીનતાને દૂર કરવાની આરઝુ છે.
(પ્રતિભાવો બાદ સુધારેલી કૃતિ)
કેન્સરના કોષો સમ પ્રસરતી
મૂળને હણતી માનવ વસ્તી
કંપતી ધરા કણસતી……
(આ રચના એડીટ કરી આપવા માટે હિમાંશુભાઈ પટેલનો આભાર…મૂળને હણતી શબ્દ એમણે સૂચવ્યો છે અને તેથી આખી ય રચના નીખરે છે)
તકલીફો વધી છે જીવનની
સાંભળુ છું જ્યારથી મને
વધતી ચાલી બહેરાશ…….
ભાવાર્થ:
સ્વ સાથે જોડાવા માટે સ્વની અંદર ઊંડા ઉતરીએ ત્યારે જ ખબર પડે છે કે મન અને શરીરના અણુઓમાં વેદનાના કેટલાય ઉદગમ સ્થાનો છે. શુદ્ધિ માટે જાત સાથે સંવાદ શરૂ કરતાં જ અંદરનો કોલાહલ વધતો જાય અને આંતર અને બાહ્ય જગતની પાર વગરની તકલીફો આત્માની અભિન્નતા સાથે એકતાના સૂત્રે જ્યારે મહતમ અનુભવીએ છીએ ત્યારે તેમાંથી ઉગરવાના સહેલા અને સરળ ઉપાય તરીકે મન સ્વથી વિમુખ થઈ રાહતની લાગણી અનુભવે છે. દુ:ખનો સામનો કર્યા વગર અંતરના સુખની આશા ઠગારી છે. પણ મનની બહેરાશ વધતી જાય છે કારણ કે તેથી ઉપજતી રાહતની લાગણી સુખનો ભ્રમ ઉભો કરવામાં
સફળ થાય છે. અને સ્વથી વિમુખ રહેવાની આદત પડી જાય છે આમ એક તબક્કો એવો આવે છે સ્વથી વિમુખ છીએ તે ખબર પણ નથી રહેતી અને બહારના સુખો પર વધુને વધુ અવલંબીત થતા જઈએ છીએ. અંદરનું સંગીત બંધ થાય એટલે બહારના સંગીત પર અવલંબન વધતું જાય તો નવાઈ નહી. તેને કલા પ્રત્યેનો પ્રેમ કેમ કહી શકાય?
રેખા સિંધલ
લીલુછમ વૃક્ષ
ખંખેરે વેદના
વળગેલા સૂકા પાનની
ઊડીને આવેલ
ભાવિનો સંકેત…..